ગુજરાતીઓની નવરાત્રિ બાદ હવે દિવાળી પણ બગડવાની, અંબાલાલ પટેલની નવી આગાહી

ગુજરાતીઓની નવરાત્રિ બાદ હવે દિવાળી પણ બગડવાની, અંબાલાલ પટેલની નવી આગાહી

Ambalal Ni Agahi ; હવામાન નિષ્ણાતે છેક નવેમ્બર સુધીની આગાહી કરીને સૌંને ચોંકાવી દીધા છે, ગુજરાતીઓની નવરાત્રિ બાદ હવે દિવાળી પણ બગડવાની


Ambalal Patel Prediction : ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી છે કે નહિ તે હજી કહેવું મુશ્કેલ છે, પરંતું અરબ સાગર બાદ હવે બંગાળની ખાડીનું તોફાન મોટું સંકટ લઈને આવશે. હવામાન નિષ્ણાતે આગામી દિવસો માટે જે આગાહી કરી છે તે ખતરનાક છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 6 થી 8 ઓક્ટોબર રાજ્યમાં વરસાદની સ્થિતિ બની રહેશે. શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે. પરંતું વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થઈ શકે છે. આ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

વાવાઝોડાની અસર કેવી અને ક્યાં ક્યાં થશે

વાવાઝોડાની અસર વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, બે દિવસ દરિયો રફ રહેશે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર તથા કચ્છમાં વરસાદ થઈ શકે છે. બંગાળ ઉપસાગરના ભેજ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ લાવશે. આ કારણે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ભાગોમાં વરસાદ આવી શકે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. તો અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 


ગુજરાત નજીક આવી રહેલું વાવાઝોડું શક્તિ શાંત પડ્યું : હવામાન વિભાગે 5 જિલ્લાઓને કર્યા એલર્ટ

તહેવારો પર વરસાદ આવશે

અંબાલાલ પટેલે કહ્યું કે, તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. આ કારણે દિવાળીનો તહેવાર બગડી શકે છે. દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. એટલુ જ નહિ, નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે.  


અમદાવાદમાં જોવા મળી વાવાઝોડાની અસર 

અરબ સમુદ્રમાં સર્જાયેલ શક્તિ વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી. શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદની અસર સવારે મકરબા વિસ્તારમાં વહેતા પાણીમાં દેખાઈ. શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો વરસાદની અસર સવારે પણ જોવા મળી. મકરબા અંડરપાસમાં ડ્રેનેજના પાણી વહેતા થતા વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ હતી. પુષ્કળ પ્રમાણમાં આવતા પાણી અને દુર્ગંધના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી પડી હતી. 



E Shram Card Bhatta Yojana Apply Online: मजदूरों को हर महीने ₹3000 का सीधा फायदा, पेंशन का पैसा मिलना हुआ शुरू

E Shram Card Bhatta Yojana Apply Online : मजदूरों को हर महीने ₹3000 का सीधा फायदा, पेंशन का पैसा मिलना हुआ शुरू E Shram Card Bhatta Yojana A...